શાહરૂખને અમદાવાદની કેડી હોસ્પિટલમાંથી રજા મળી: મુંબઈ લઈ જવા ચાર્ટડ પ્લેન તૈયાર; થોડીવારમાં થશે રવાના, ડીહાઈડ્રેશનનાં કારણે થવું પડ્યું હતું દાખલ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan23052024_132346_587 (1).webp)
- 23 May, 2024
બોલિવુડ એક્ટર શાહરૂખ ખાનના ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. કિંગ ખાનને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. એક્ટરને ડીહાઈડ્રેશનના કારણે બુધવારે હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી. શાહરૂખ અમદાવાદની કે ડી હોસ્પિટલમાં દાખલ થયા હતા. હાલ એક્ટરની તબિયત સુધારો થયો હોવાનું કહેવાઈ રહ્યું છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછીથી શાહરૂખ અમદાવાદ એરપોર્ટ પરથી ચાર્ટર પ્લેન લઈને મુંબઈ રવાના થશે.
મેનેજર પૂજા ડડલાનીએ શાહરૂખની હેલ્થ વિશે અપડેટ આપ્યું
શાહરૂખની હેલ્થને લઈને તાજેતરમાં જ તેમની મેનેજર પૂજા ડડલાનીએ અપડેટ આપ્યું હતું. કિંગ ખાનની મેનેજરે એક પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે શાહરૂખની તબિયતમાં હવે પહેલા કરતા ઘણો સુધારો છે. પૂજાએ લખ્યું કે હું મિસ્ટર ખાનના તમામ શુભ ચિંતકો અને ફેન્સને એ વાત કહેવા માંગુ છું કે તેમની તબિયત પહેલા કરતા ઘણી સારી છે. તમારા બધાના પ્રેમ, પ્રાર્થના અને કન્સર્ન બદલ ધન્યવાદ.
ઉલ્લેખનીય છે કે કિંગ ખાન કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક હોવાથી તેમના ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે અમદાવાદ આવ્યા હતા. તે દરમિયાન મેચ પૂર્ણ થયા બાદ તેઓ મેદાનમાં ફરીને દર્શકોનો આભાર પણ માન્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમથી તેમની તબિયતને અસર થઈ હતી. તેના પગલે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના ફેન્સ બુધવારે ઘણા ટેન્શનમાં આવી ગયા હતા.
સમાચાર આવ્યા કે શાહરૂખની તબિયત બગડી, જે બાદ તેને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેઓ ડિહાઈડ્રેશનથી પીડાઈ રહ્યા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયાથી લઈને બોલિવૂડ સુધી ખળભળાટ મચી ગયો હતો. સમગ્ર વિશ્વમાં શાહરૂખના ચાહકો તેની તબિયતની ચિંતા કરવા લાગ્યા.